દર્શકો નિતેશ તિવારીની ‘રામાયણ’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી રામ અને સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. દરમિયાન, અંજલિ અરોરાએ જાહેરાત કરી કે તે અભિષેક સિંહની ફિલ્મ ‘શ્રી રામાયણ કથા’ સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે, જેમાં તે માતા સીતાની ભૂમિકા ભજવી રહી છે. બંને ફિલ્મો હિન્દુ મહાકાવ્યથી પ્રેરિત છે.
અંજલિ અરોરા, આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં, પોતાને લકી ગણાવી કારણ કે તેને સીતાની ભૂમિકા ભજવવાની તક મળી. ડાઈરેક્ટર અભિનેત્રીને કહ્યું હતું કે અન્ય અભિનેત્રીઓ પણ સીતાનો રોલ મેળવવાની રેસમાં હતી, જોકે, નિર્માતાઓએ તેને પસંદ કરી હતી. ગયા મહિને જ તેણીની ભૂમિકા માટે પસંદગી કરવામાં આવી હતી. હાલમાં, તે વર્કશોપમાં ભાગ લઈ રહી છે અને પાત્રમાં આવવા માટે વીડિયો જોઈ રહી છે.
![](https://surties.com/wp-content/uploads/2024/05/anjali-arora-sai-pallavi-2024-05-191a494c1e958346c579621b66ab343d.jpg)
અંજલિ અરોરાએ કહ્યું કે તેના એક્ટિંગની તુલના રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર સાઈ પલ્લવી સાથે કરવામાં આવશે, જોકે તેણે અન્ય કલાકારો સાથેની સરખામણી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, ‘જો મારી સરખામણી બોલિવૂડ અભિનેત્રી સાથે કરવામાં આવે તો મને ખુશી થશે.’ તમને જણાવી દઈએ કે, અંજલિ તેના ‘કચ્ચા બદામ’ ગીત પરના એક ડાન્સ વીડિયોના વાયરલ થયા બાદ ચર્ચામાં આવી હતી. તેને રિયાલિટી શો ‘લોકઅપ’નો ભાગ બનવાની તક મળી.