સુરતના કાપોદ્રા વિસ્તારની આશ્ચર્ય ચકિત ઘટના સામે આવી છે. જેમાં આજે શુક્રવારે વહેલી સવારે તાપી નદીમાંથી એક બાળકની લાશ મળી હોવાનું સામે આવ્યું છે. ગુમ થયેલા બાળકની સીધી લાશ મળી આવતા પરિવારમાં શોકમાં માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ જે બાળકની લાશ તાપી નદીમાંથી મળી આવી છે, તે બાળક કર્મનાથ મહાદેવ મંદિર પાસેથી બાળક ગુમ થયું હતું. ત્યારબાદ તેના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવી હતી. ત્યારે વહેલી સવારે બાળકની લાશ તાપી નદીમાંથી મળી આવતા હોબાળો મચ્યો છે. એકાએક ગુમ થયેલ બાળકના ગુમ થયા બાદ સીધું લાશ મળતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
જો કે હજી સુધી બાળકના મોતનું કારણ અકબંધ છે. કર્મનાથ મંદિર પાસે ગુમ થયેલ બાળકની લાશ તાપી નદીમાંથી મળી આવતા પોલીસ પણ ચિંતામાં પડી છે. હાલ કાપોદ્રા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.