T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન. જુઓ ટીમમાં કયા ખેલાડીઓને સ્થાન મળ્યું

surties

BCCIએ રોહિત શર્માને કેપ્ટન યથાવત રાખ્યો છે તો હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.

T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. T-20 ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં BCCI ચીફ સિલેકટર અજિત અગરકર અને સચિવ જય શાહની આગેવાનીમાં એક મોટી બેઠક મળી હતી જે પછી ટીમ જાહેર કરાઈ હતી.

ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ

રિઝર્વ ખેલાડીઓ : શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખા

BCCI એ હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપીને વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે. આ પહેલા એવી ચર્ચા હતી કે હાર્દિક પંડ્યાને ટી 20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવશે પરંતુ પસંદગીકારોએ આ ચર્ચાને ખોટી પાડી હતી. T-20 વર્લ્ડ કપમાં બે ખેલાડીઓને તક મળી છે. સંજૂ સેમસન અને ઋષભ પંતને ટીમમાં સ્થાન અપાયું છે.

ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ
(1) 5 જૂન – ભારત વિ આયર્લેન્ડ

(2) 9 જૂન – ભારત વિ પાકિસ્તાન

(3) 12 જૂન – ભારત વિ યુએસએ

(4 ) 15 જૂન – ભારત વિ કેનેડા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *