બંગાળની ખાડીમાં પ્રી-મોન્સુન સીઝનમાં વારંવાર તોફાનો આવે છે. આ વખતે પણ હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે ચક્રવાતી તોફાન “રિમાલ” 26 મેના રોજ આવશે. પરંતુ આ વખતે તોફાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન રિમાલ 26 મેના રોજ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ સાથે ટકરાશે.
આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બંગાળની ખાડીમાં વિકસતું આ વાવાઝોડું 25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં ભારે અસર પડશે.
दैनिक मौसम परिचर्चा (23.05.2024)
— India Meteorological Department (@Indiametdept) May 23, 2024
YouTube : https://t.co/DnCQsL0ZJd
Facebook : https://t.co/wOrOO0iGeC#weatherupdate #heatwave #rainfallalert #thunderstorm #rain@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/mczdG88ivK
હવામાન વિભાગે કહ્યું કે, ઓડિશા સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતને પણ 27 મે સુધીમાં તેની અસર થવાની સંભાવના છે. તેથી હવામાન વિભાગે 28 મે 2024 ની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે.
આ જિલ્લાઓમાં 25મીથી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને 26મીએ પવનની ઝડપ 80થી 100 કિલોમીટરની વચ્ચે રહેશે. આવી સ્થિતિમાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા, નાદિયા અને ઝારગ્રામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26મીએ બાંગ્લાદેશમાં લેન્ડફોલ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં 27મી સુધી ભારે વરસાદ અને તેજ પવન ચાલુ રહેશે.
હવામાન વિભાગે માછીમારોને 23 મે સુધી મધ્ય અને સંલગ્ન દક્ષિણ બંગાળની ખાડી અને 24 મેથી 26 મે સુધી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે. દરિયામાં ગયેલા માછીમારોને પણ 23 મે પહેલા કિનારે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.