10મી જૂનથી સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 આગામી 90 દિવસ માટે મુસાફરોની અવરજવર માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન અહીંથી તાપ્તીગંગા, છાપરા, અમરાવતી, સુરત-ભાગલપુર સહિતની ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવશે. આ ટ્રેનોમાં તાપ્તી ગંગા, અમરાવતીનો સમાવેશ થાય છે.
મુસાફરોએ ઉધના જવું પડશે
પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પરથી દોડતી ટ્રેનો સામાન્ય રીતે ચાલશે. મુસાફરોએ સુરતને બદલે ઉધના જઈને ટ્રેન પકડવી પડશે.
પ્લેટફોર્મ કેમ બંધ રહેશે ?
વરાછા, સુરત યાર્ડ અને એસટી ડેપો વિસ્તારમાં કોલોની, રેલવે બિલ્ડિંગનું બાંધકામ તબક્કાવાર ચાલી રહ્યું છે. ગરનાળાથી લાંબા હનુમાન રોડ તરફ એલિવેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ પણ ચાલી રહ્યું છે. હયાત રેલ્વે સ્ટેશનની ટોચ પર કોન્કોર્સ વિસ્તારના નિર્માણ માટે પ્લેટફોર્મ નંબર ચાર 10 જૂનથી બંધ કરવામાં આવશે.
ક્યાં સુધી બંધ રહેશે સુરતના પ્લેટફોર્મ નં. 4 ?
આ પ્લેટફોર્મ 10 જૂનથી 90 દિવસ એટલે કે 7 સપ્ટેમ્બર, 2024 સુધી બંધ રહેશે.
કયા પ્લેટફોર્મ પરથી ટ્રેન દોડશે?
પ્લેટફોર્મ નંબર 4 બંધ થયા બાદ લગભગ 17 ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપડતી તમામ ટ્રેન ઉધના પ્લેટફોર્મ નંબર ત્રણ, ચાર અને પાંચ પરથી ચલાવવામાં આવશે.
આ ટ્રેનો ઉધનાથી ચાલશે:
તાપ્તીગંગા
ભાગલપુર
અમરાવતી
ભુસાવલ
સુરત-બાંદ્રા ઇન્ટરસિટી
સુરત-છાપરા
નંદુરબાર-સુરત પેસેન્જર
મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ:
કોન્કોર્સ વિસ્તારમાં રેસ્ટોરન્ટ અને વેઇટિંગ એરિયા બનાવવામાં આવશે.
ટ્રેનના આગમનના 10 થી 15 મિનિટ પહેલા મુસાફરોને સ્ટેશન પ્લેટફોર્મ પર પ્રવેશ આપવામાં આવશે.
પ્રવાસીઓ માટે સલાહ:
સુરતથી મુસાફરી કરતા પહેલા મુસાફરોએ ઉધના સ્ટેશનથી ટ્રેનની માહિતી તપાસવી જોઈએ. ટ્રેનના પ્રસ્થાનના સમયના ઓછામાં ઓછા એક કલાક પહેલા ઉધના સ્ટેશને પહોંચવું જોઈએ. આ ફેરફારથી મુસાફરોને થોડી અસુવિધા થઈ શકે છે, પરંતુ રેલવેએ મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે આ પગલું ભર્યું છે.