આમ તો સુરતને સુરતીઓ ખાવા-પીવા માટે ફેમસ છે.પણ હાલ સુરતમાં ખાવા પીવાની વસ્તુમાં ક્યારેક બર્ગર માંથી ઈયળ, તો ચીઝ ડીપમાં જીવડાં તો ક્યારેક જમવામાં પાણીની જ્યારે એ ચિકન આવી જાય છે.
સુરતમાં જ આવા 3 બનાવ સામે આવિયા છે જ્યાં, પીઝા હાતના પિઝા સાથે આવેલા ચીઝ ડિપમાં જીવાત નીકળી હતી.
નામચીન ગણાતી એવી બર્ગરની ફ્રેન્ચાઇઝી બર્ગર કિંગના બર્ગરમાં જીવતી ઈયળો ચાલતી જોવા મળી.
એટલુંજ નહિ ઓનલાઈન ઓર્ડર પર જયારે ઘરે પનીરની સબ્જી ઓર્ડર થઈ ત્યારે માલુમ પડ્યું કે, પનીરની જગ્યા પર ચિકન આવી ગયું છે. આ માલુમ પડતા આગવુ રક્ષા મંચ દ્વારા આ ચિકન સ્ટોલ બેહરૂઝ બિરિયાની પર જઈ ધર્મની લાગણી દુભાવનો આક્ષેપ લગાવામાં આવ્યો અને સાથે આ બેહરૂઝ બિરિયાની આઉટલેટ્સ બંધ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
આવા બનાવ તો અવારનવાર બનતા જ રહે છે સુરત શહેરમાં પણ આને લઇ લોકોને ફરિયાદ ક્યાં કરવી એ મોટો પ્રશ્ન સામે આવે છે.
આની સામે કોઈ ફરીયાદ નોંધાવે છે પણ અમુક લોકોને આવી ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી એનો ખ્યાન નથી હોતો. જે લોકોને ખબર ન હોય એ લોકોને જાણવાનું કે, ફૂડ રિલેટેડ તમારી કોઈ પણ ફરિયાદ હોઈ એ તમે કોર્પોરેશની ઓફિશ્યલ વેબસાઈડ પર જઈને કમ્પ્લેઇન નંબર 18001238000 અથવા SMC(Surat Municipal Corporation)ના વોટ્સઅપ નંબર 7623838000 પર જઈ તે FOODને રિલેટેડ ફોટોસ કે વિડિયોઝ એડ્રેસ સાથે શેર કરી તમે તામરી ફરિયાદ નોંધાવી શકો છો.
સાથે જ ફોટોસ કે વિડિયોઝ સુરતીસણા નંબર 8401144433 પર પણ મોલકો, જેથી આમે પણ તમારી ફરિયાદ જવાબદારો સુધી પોંહચાડી શકીએ.