હાલ ના સમય માં ગુજરાત ની અંદર ચૂંટણી ને લઇ ને ચારેકોર ચર્ચા નો દોર ચાલી રહ્યો છે. પોલિટિકલ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ હાલ ગુજરાત ની મુલાકાતે પણ આવી રહ્યા છે. થોડા સમય પહેલાજ આપ નેતા રાઘવ ચઢ્ઢા પણ ગુજરાત- સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા અને ભાવનગર ની મુલાકાત પણ લીધી હતી.
AAPના એક નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને ટ્વિટર પર ટેગ કર્યા હતા. જેથી ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે તેમના ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, ‘મહેરબાની કરીને મને આવી પોસ્ટમાં ટેગ કરશો નહીં. હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી.’
Please do NOT tag me in such posts. I do NOT belong to any political party
— YUVRAJ BHAVNAGAR JAIVEERRAJ SINH GOHIL (@YSJRSG) October 11, 2022
ત્યારબાદ બાદમાં આ AAPના નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને તેમના ટ્વિટનો વળતો જવાબ આપતા કહ્યું કે, ‘ઓકે સર હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ માનનીય યુવરાજ સાહેબ.’
AAPના એક નેતાએ શેર કરેલી પોસ્ટમાં ભાવનગરના યુવરાજને ટેગ કર્યા હતા
આપના એક નેતાએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલને આપ નેતા રાઘવ ચઢ્ઢાનું ભાવનગરમાં સ્વાગત છે તેવી પોસ્ટમાં ટેગ કરવામાં આવ્યા હતા. આથી જયવીરરાજસિંહ ગોહીલે હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી એમ સ્પષ્ટ જણાવી દીધું હતું.
Leave a Reply
View Comments