Surties : મેહુલ બોધરા-સાજન ભરવાડ કેસમાં મહત્વના સમાચાર આવ્યા સામે

સુરત મા તારીખ 18 ઓગસ્ટ ના રોજ એક સુરત ના જાણીતા એડવોકેટ મેહુલ બોધરા ઉપર સાજન ભરવાડ નામના TRB જવાને ડંડા વડે હુમલો કર્યો હતો જ્યારે બાદ લોકો મા ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. આખી આ ઘટના મેહુલ બોઘરા એ ફેસબુક લાઈવ પણ કરી હતી.

જોકે આ ઘટના ને લઈ ને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ કરવામાં આવી હતી પણ સુરત કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ ચુકાદા બાદ કોર્ટે સાજન ભરવાડના જામીન નામંજુર કરી દીધા છે. જેમાં મેહુલ તરફે સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવી હતી.

આ કેસમાં બંને પક્ષોની દલીલો બાદ કોટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આ કેસની તપાસ હાલમા ચાલુ છે. જેમાં તલસ્પર્શી તપાસ થાય તે પણ જરૂરી છે. જેના માટે આરોપીની ઘટના સમયે હાજરી અને તેની સંડોવણીને ધ્યાનમાં લઈ આરોપી સાજન ભરવાડ જામીન માટે હકદાર નથી.

હાલમાં આ કેસની તપાસ ચાલુ છે અને જો આરોપીને જામીન પર છોડવામાં આવશે તો ટ્રાયલ પર તે હાજર રહેશે નહીં. અને પુરાવા સાથે છેડછાડ થાય તેવી સંભાવના છે. તેવું ટાંકીને કોર્ટે આરોપી સાજન ભરવાડના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો છે.

અત્રે નોંધનીય છે કે મેહુલ બોઘરા પર થયલા હુમલા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને વકીલ મંડળ મા પણ આક્રોશ જોવા મળ્યો હતો. સુરત ના વકીલ મંડળ દ્વારા એવુ નક્કી કરવામા આવ્યું હતું કે સાજન ભરવાડ તરફ થી કોઈ એ કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર થયા હતા. આ જ મામલે એડવોકેટ મિનેશ ઝવેરી ને વકીલ મંડળ માથી આજીવન સસ્પેન્ડ પણ કરવામા આવ્યા હતા.