હાલના સમયમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખુબજ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે એક આ દિગ્ગજ કલાકારે 23 જાન્યુઆરી એટલેકે સોમવારે વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના ઘરે આત્મ*ત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું.પોતાનું જીવન ટૂંકાવનાર બીજું કોઈ નહિ પણ ટોલીવુડ અભિનેતા સુધીર વર્મા છે. અભિનેતા સુધાકરે, જેઓ સુધીર વર્માના કો-સ્ટાર હતા, તેમના મૃત્યુની પુષ્ટિ કરી.
આ કલાકરે આવું પગલું શુકામ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમય થી તેઓ અંગત જીવનમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા.
અચાનક જ આવા દુઃખદ સમાચાર સામે આવતા સમગ્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડી છે. સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સુધીર વર્માના અવસાનથી બધા આઘાતમાં છે.
સુધીર વર્માએ 2013માં ફિલ્મ ‘સ્વામી રા રા’થી અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ સુધીર વર્માને 2016માં આવેલી ફિલ્મ કુંદનાપુ બોમ્માથી ઘણી ઓળખ મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે માન્યતા મળવા છતાં સુધીર વર્માને ફિલ્મોની મજબૂત ઑફર્સ મળી રહી ન હતી.
Leave a Reply
View Comments