ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. તમામ રાજનીતિક પાર્ટીઓ પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે તે દરમિયાન આદમી પાર્ટીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું જણાવ્યું કે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા કઈ બેઠક પર થી ચૂંટણી લડશે.
राजनीति में युवाओं की भागीदारी ज़रूरी है। गुजरात में हमारे प्रदेश अध्यक्ष एवं लोकप्रिय युवा श्री गोपाल इटालिया को सूरत की कतारगाम विधानसभा से ओर प्रदेश महामंत्री श्री मनोज सोरठिया को करंज विधानसभा से गुजरात की जनता चुनाव लड़ाएगी, दोनों युवाओं को मैं शुभकामनाएँ देता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 9, 2022
કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે અને મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.
Leave a Reply
View Comments