ક્રિકેટ જગતમાં હાલ ટી-20 વર્લ્ડ કપની અંદર ભારતીય ક્રિકેટ ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. આ ટી-20 વર્લ્ડ કપમાં ભારતે રમેલી કુલ 4 મેચો માંથી 3 મેચોમાં જીત મેળવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી દરેક મેચમાં ખેલાડીઓને ઉત્સાહ જોવા મળી રહ્યો છે છતાં પણ ગૌતમ ગંભીરે વિરાટ અને રોહિત કરતાં સૂર્યકુમાર યાદવ ને સર્વશ્રેષ્ઠ અને સૌથી મૂલ્યવાન ખેલાડી ગણાવ્યો.
ગૌતમ ગંભીરે ફરી એક વખત વિરાટ કોહલી અને રોહિત શર્મા ની ટીકા કરી છે અને પોતાનો રોષ ઠાલવ્યો છે. ગૌતમ ગંભીરે હાલમાં સૂર્યકુમાર યાદવના વખાણ કર્યા અને જણાવ્યું કે સૂર્યકુમાર યાદવ બીજા બેટ્સમેન કરતાં ખૂબ જ અલગ છે અને તે મોટી બાઉન્ડ્રી લગાડવા માટે પણ જાણીતો છે.
ગૌતમ ગંભીરે વધુમાં જણાવ્યું કે સૂર્યકુમાર યાદવને હંમેશા ખબર હોય છે કે તે મેદાન પર શું કરી રહ્યો છે. જ્યારે જયારે પણ ટીમને રનની જરૂર હોય છે ત્યારે કપરી પરિસ્થિતિમાં પણ રન આપે છે અને વર્લ્ડ કપની ઘણી મેચોમાં તેણે સારું પ્રદર્શન કર્યું છે. ગૌતમ ગંભીર ના આ નિવેદન પર તમે શું કહેશો ?
Leave a Reply
View Comments