ઓમ શાંતિ : ચૂંટણીના ધમધોકાર વચ્ચે BJP પ્રમુખનું નિધન, ચૂંટણી વચ્ચે ભાજપે લીધો મોટો નિર્ણય….

Surties

હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાના કાર્યક્રમો ધમધોકાર ચાલી રહેલા છે અને ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું આજે વહેલી સવારે નિધન થયું છે. આ દુઃખદ સમાચાર સામે આવતા ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Surties

વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીના આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે અને સાથે સાથે સભાઓ અને રોડ શો પણ કરવામાં આવી રહ્યા છે આવા ચૂંટણીના માહોલ વચ્ચે જેતપુર થી દુઃખદ સમાચાર આમે આવતા નિરાશાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ ગત રાત્રીના રોજ જેતપુર ખાતે યોજાયેલી સભામાં તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા ઉપસ્થિત પણ હતા. વેલજીભાઈના નિધનને લઇ ભાજપ ઉમેદવાર જયેશ રાદડીયાના તમામ કાર્યક્રમો મોફૂક રાખવામાં આવ્યા છે.