દ્વારકાધીશ જગતમંદિરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધાર્મિક સ્થળો પર ધાર્મિક ભાવના સચવાઈ રહે તે હેતુ સર દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકવમાં આવ્યો છે. અહીંયા દરરોજ મોટી શાખ્યમાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવતા હોઈ છે અને તેવામાં આપણી ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરી ને આવવા માટે મંદિર વ્યવસ્થાન સમિતિદ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ મુદ્દે મંદિર માં બેનર પણ લગાવવાં આવ્યા છે જેમાં દરેક માહિતી વિગતવાર લખવાં આવી છે અને સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવાની અપીલ કરવામાં આવી છે.
દ્વારકામાં સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે ત્યાર ધાર્મિક સ્થળની ભાવના જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ તેવું સામે આવ્યું છે.
તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડા પહેલા જગતમંદિરના શિખર પર એક સાથે બે ધજા ચડાવવામાં આવી હતી. એવી લોક માન્યતા છે કે, જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવતાં ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને દૂર કરે છે. મંદિર સમિતિ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી ખાસ જણાવજો.
Leave a Reply
View Comments