ચેતવણી : પોલીસ કમિશ્નરનું જાહેરનામું ખાસ વાંચી લેજો નહી તો ઉતરાયણ પોલીસ સ્ટેશનમાં ઉજવવી પડશે

surties

ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

surties

ઉતરાણ પર્વને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને તે મુજબ સુરત શહેરમાં તમામ ફ્લાઇ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ-વ્હિલર વાહનો ચાલકોની અવર જવર માટે 14 અને 15 તારીખ માટે બંધ કરવામાં આવ્યા છે.

surties

આગામી તા.14/01/2023ના રોજ મકરસંક્રાતીનો તહેવાર આવતો હોય સુરત શહેરમાં આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલા પતંગો અને દોરા વિગેરે કપાઇને જાહેર રોડ ઉપર આવતા હોય છે. રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોના ગળામાં અકસ્માતે દોરો ભેરવાઇ જતા ગંભીર પ્રકારના અકસ્માતો બનવાની પુરે પુરી શક્યતાઓ છે.

surties

જે કોઈ દ્વારા આ નિયમનો ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.