ભરૂચમાં તળાવનું દુષિત પાણી પીધા બાદ 25 ઊંટોના મોત

25 camels die after drinking contaminated lake water in Bharuch
25 camels die after drinking contaminated lake water in Bharuch

ગુજરાતના ભરૂચ જિલ્લામાં એક સાથે 25 ઊંટના મોત થયા છે.  આ ઊંટોએ એક તળાવનું દૂષિત પાણી પીધું હતું, જેના પછી તેમની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. ગ્રામજનોની જાણના આધારે પશુ ચિકિત્સકોની ટીમે પહોંચી તપાસ હાથ ધરી હતી. ડોક્ટરોની ટીમે જણાવ્યું કે ઉંટનું મોત કેવી રીતે થયું, તેની તપાસ કરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે તળાવનું પાણી પીધા બાદ ઉંટોની હાલત ખરાબ થઈ ગઈ હતી.

ખરેખર, મામલો વાગરા તાલુકાના સૂકા કાચીપુરા ગામનો છે. ગત રવિવારે 25 જેટલા ઉંટ પાણી પીવા નજીકના તળાવમાં ગયા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે આ તળાવની નજીકથી ક્રૂડ ઓઈલની પાઈપલાઈન ગઈ છે. પાઈપલાઈનમાં લીકેજના કારણે તળાવનું પાણી દૂષિત થયું હતું. ઊંટો ક્યારે તળાવના કિનારે પહોંચ્યા તેની અમને ખબર પડી નહીં.

તળાવના કિનારે ઊંટ બેભાન અવસ્થામાં પડ્યા હતા

તળાવનું પાણી પીધા બાદ ઉંટો સુસ્ત અવસ્થામાં ત્યાં જ પડ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે જ્યારે અમે શોધ કરવા નીકળ્યા તો અમે જોયું કે બધા ઊંટ તળાવની પાસે પડ્યા હતા. તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે ઉતાવળમાં તેઓએ પોલીસ અને પશુ ચિકિત્સા હોસ્પિટલને જાણ કરી. માહિતી મળતા વેટરનરી ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ઉંટ એ ગામમાં આજીવિકાનું મુખ્ય સાધન છે

જણાવી દઈએ કે વાગરા તાલુકાના સુકા કાચીપુરા ગામની વસ્તી 250 છે. ગામમાં 60 જેટલા ઘરો છે. આ તમામ પશુપાલકો માલધારી સમાજમાંથી આવે છે. ઊંટ તેમના જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે ગ્રામજનોની આજીવિકા ચલાવવામાં ઊંટ મહત્વની ભૂમિકા ભજવે છે. ગ્રામજનોનો સમગ્ર વ્યવસાય તેમના પર નિર્ભર છે.

પશુચિકિત્સકોની ટીમ તપાસમાં રોકાયેલ

ભરૂચના સરકારી પશુચિકિત્સક ડો. હર્ષ ગોસ્વામીએ 25 ઊંટના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ઈંટોના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, ગ્રામજનોનું કહેવું છે કે તળાવનું પાણી પીધા બાદ તમામની હાલત કફોડી બની હતી. ગ્રામજનોએ જણાવ્યું કે પાઈપલાઈન લીકેજના કારણે તળાવના પાણીમાં ઓઈલ ઠલવાઈ રહ્યું છે. ડો.હર્ષ ગોસ્વામીએ જણાવ્યું કે હાલમાં અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. રિપોર્ટ આવ્યા બાદ સાચી માહિતી મળશે.